કેટલીક વખતે આરોપીની ગેરહાજરીમાં તપાસ અને ઇન્સાફી કાયૅવાહી કરવા માટેની જોગવાઇ - કલમ : 355

કેટલીક વખતે આરોપીની ગેરહાજરીમાં તપાસ અને ઇન્સાફી કાયૅવાહી કરવા માટેની જોગવાઇ

(૧) આ સંહિતા હેઠળની કોઇ તપાસ કે ઇન્સાફી કાયૅવાહીના કોઇ તબકકે જજ કે મેજિસ્ટ્રેટને એવી ખાતરી થાય કે ન્યાયાલય સમક્ષ આરોપીને જાતે હાજર રહેવાનું ન્યાયના હિત માટે જરૂરી નથી અથવા આરોપી વારંવાર ન્યાયાલયની કાયૅવાહીમાં ખલેલ પહોંચાડે છે તો તે અંગે લેખિત કારણો દશૅ©ાવીને જજ કે મેજિસ્ટ્રેટ આરોપીએ વકીલ રોકેલો હોય તો આરોપીની હાજરી જરૂરી નહી હોવાનું માની શકશે અને તેની ગેરહાજરીમાં એવી તપાસ કે ઇન્સાફી કાયૅવાહી કરી શકશે અને કાયૅવાહીના ત્યાર પછીના કોઇ તબકકે આરોપીને જાતે હાજર રહેવાનો આદેશ આપી શકશે.

(૨) એવા કોઇ કેસમાં આરોપીએ વકીલ રોકેલ ન હોય અથવા જજ કે મેજિસ્ટ્રેટને તે જાતે હાજર રહે તે જરૂરી લાગે તો તે જજ કે મેજિસ્ટ્રેટ પોતાને યોગ્ય લાગે તો તે અંગે લેખીત કારણો દર્શાવીને તપાસ કે ઇન્સાફી કાયૅવાહી મુલતવી રાખી શકાશે અથવા આવા આરોપીની તપાસ કે ઇન્સાફી કાયૅવાહી જુદી કરવાનો હુકમ કરી શકશે.

સ્પષ્ટીકરણ.- આ કલમના હેતુ માટે આરોપીને જાતે હાજર રહેવામાં ઓડિયો વિડિયો ઇલેકટ્રોનિક સાધનોના માધ્યમથી હાજરીનો સમાવેશ થશે.